રાજ્યના મહાનગરોમાં આવતીકાલ તા. 21 માર્ચથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026”નો પ્રારંભ થશે
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો આવતીકાલ તા. ૨૧ માર્ચના રોજ કૃષિ મંત્રી જીતુ વાઘાણી શુભારંભ કરાવશે. આ વેળાએ રાજ્યના પૂર્વ સહકાર મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત વિવિધ મહાનગરોમાં પણ રાજ્ય મંત્રી મંડળના સભ્યો ઉપસ્થિત રહીને “મિલેટ મહોત્સવ”નો પ્રારંભ કરાવશે.