ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે DGPની અધ્યક્ષતામાં મહત્વની વીડિયો કોન્ફરન્સ યોજાઈ
આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા રાજ્યભરમાં શાંતિપૂર્ણ, કોમી એકતા અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તેમજ ચાલુ વરસાદી માહોલમાં પણ સુરક્ષા વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે આજે પોલીસ ભવન ખાતેથી એક ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યના તમામ શહેરના પોલીસ કમિશનરઓ, રેન્જ વડાઓ તેમજ જિલ્લાના પોલીસ વડાઓ ઓનલાઈન જોડાયા હતા.