ગુજરાતમાં ભરતી પ્રક્રિયા પારદર્શક બનતા હજારો પ્રતિભાશાળી યુવાનો પોતાની મહેનતથી સરકારી સેવામાં જોડાયા: કૃષિ મંત્રી
આ કાર્યક્રમ દરમિયાન કૃષિ અને પશુપાલન મંત્રીના હસ્તે નવનિયુક્ત 34 બીજ અધિકારી તથા 11 પશુધન નિરીક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.કૃષિ મંત્રીએ નવનિયુક્ત ઉમેદવારોને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, પ્રધાન નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયાને અત્યંત પારદર્શક બનાવવામાં આવી છે, જેના પરિણામે આજે હજારો પ્રતિભાશાળી યુવાનો કોઈપણ ભલામણ વગર પોતાની મહેનતથી સરકારી સેવામાં જોડાઈ રહ્યા છે.મંત્રીએ જણાવ્યું કે, કૃષિ અને પશુપાલન વિભાગમાં કામ કરવું એ માત્ર નોકરી નથી, પણ અન્નદાતાની સેવાની એક ઉત્તમ તક છે.