ક્લિનિકલ ટોક્સિકોલોજી ક્ષેત્રે સંશોધન માટે ઝાયડસ હોસ્પિટલે NFSU સાથે સમજૂતી કર્યા કરાર
'પદ્મશ્રી'થી સન્માનિત, ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ-NFSUના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારના ઝેરના નિદાન અને વિશ્લેષણ માટે અતિ વિશિષ્ટ એવા "સેન્ટર ફોર ઇમરજન્સી ટોક્સિકોલોજી" (CET)ની NFSUના ગાંધીનગર પરિસર ખાતે સ્થાપના કરવામાં આવી છે. CET એ ટોક્સિકોલોજિકલ સેવાઓ માટે સમર્પિત ભારતનું સૌપ્રથમ સેન્ટર છે.NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે અને ઝાયડસ હોસ્પિટલના લીડ મેડિકલ સર્વિસીસના ડૉ. ચૈતસી મહેતા દ્વારા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઝાયડસ હોસ્પિટલના ડૉ. જયેશ ત્રિવેદી અને સેન્ટર ફોર ઇમરજન્સી ટોક્સિકોલોજી(CET)ના વડા ડૉ. ભૂમિકા પટેલ હાજર રહ્યા હતા.