પાટીદાર આગેવાનોના કેસો પાછા ખેંચાશે
ગૃહમાં પાટીદાર આગેવાનોની સામે થયેલા કેસો પાછા ખેંચવા અંગે સરકારે જણાવ્યું હતું કે અમારા અધિકારક્ષેત્રમાં આવતા તમામ કેસો અમે પાછા ખેંચી લીધા છે. પરંતુ જેમની સામે ગંભીર ગુનાઓ નોંધાયા છે. તે કેસો પાછા ખેંચાયા નથી. તો ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગૃહ બહાર જણાવ્યું હતું કે ગુજરાત સરકાર નશાબંધી અંગે જાગૃત છે, અને તેનો ભંગ કરનાર સામે કડકમાં કડક પગલાં તથા દંડની જોગવાઇ કરી છે.