સંસદનું ચોમાસું સત્ર: બીજા દિવસે લોકસભા અને રાજ્યસભામાં આ બીલ પર ચર્ચા
સંસદના ચોમાસા સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભામાં આજે કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ ગોવા રાજ્યના વિધાનસભા વિસ્તારોમાં અનુસુચિત જનજાતિઓના પ્રતિનિધિત્વના પુનઃ ગઠન સંબંધિત વિધેયક રજૂ કરશે. સરકાર પ્રયાસ કરશે કે આ વિધેયક આજે જ પસાર કરવામાં આવે. જયારે રાજ્યસભામાં આજે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનેવાલ સમુદ્ર માર્ગે માલવહન વિધેયક પર ચર્ચા અને પસાર કરવા રજૂ કરશે. તે ઉપરાંત બંને ગૃહોમાં અન્ય વિધેયક પર કામકાજ પણ હાથ ધરવામાં આવશે. પ્રશ્નકાળ દરમિયાન અનેક મહત્વના પ્રશ્નો પુછવામાં આવશે.