Skip to main content
Settings Settings for Dark

Live TV

X

પાકિસ્તાન આતંકવાદને આપે છે પ્રોત્સાહન: સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભારતનો પ્રહાર

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર નિશાન પર લીધું હતું. ભારતે સંયુક્ત રાષ્ટ્રની બેઠક સ્પષ્ટ કહ્યું કે, પાકિસ્તાન એક દુષ્ટ રાષ્ટ્ર છે. તે આતંકવાદને પ્રોત્સાહન આપીને પ્રાદેશિક અસ્થિરતાને વધારે  છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધી યોજના પટેલે આતંકવાદ સાથે પાકિસ્તાનના સંબંધોને ટાંકીને વૈશ્વિક સમુદાયને તેમનું મૌન તોડવા આગ્રહ કર્યો  હતો.

ભારતના સ્થાયી પ્રતિનિધી યોજના પટેલે શું કહ્યું ?

Gujarati

અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે બાંધકામો પર સૌથી મોટું ઓપરેશન

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત સરકાર સતર્ક બની છે, ત્યારે ફરી એકવાર અમદાવાદના મિની 'બાંગ્લાદેશ' એવા ચંડોળા તળાવ ખાતે પોલીસે મોટું ડિમોલિશન હાથ ધર્યુ છે. ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે, હવે અહીં ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. હવે અહીં ગેરકાયદે રીતે બનેલી મિલકતોને તોડી પાડવામાં આવી રહી છે. ગુજરાત પોલીસની સાથે સાથે સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, SRP તથા SOGની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કુલ બે હજારથી વધુ જવાનો તૈનાત કરાયા છે. ઈસનપુર વિસ્તારમાં પણ મોટું પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. 

Gujarati

પાવર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના આધાર પર માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 3 ટકાનો વધારો

વીજ ઉત્પાદનમાં તીવ્ર વધારાને કારણે માર્ચ 2025માં દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ત્રણ ટકાનો વધારો નોંધાયો હતો. આ માહિતી આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે સોમવારે જાહેર કરાયેલા આંકડામાં આપી છે. 

માર્ચમાં વીજળી ઉત્પાદનમાં 6.3 ટકાનો વધારો નોંધાયો

મંત્રાલયના આંકડા અનુસાર, માર્ચમાં વીજ ઉત્પાદનમાં 6.3 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ખાણકામ ક્ષેત્રના ઉત્પાદનમાં 0.4 ટકાનો નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં 77 ટકાથી વધુ હિસ્સો ધરાવતા ઉત્પાદન ક્ષેત્રે ત્રણ ટકાનો વધારો થયો હતો.

Gujarati

'શરિયા કોર્ટ' અને 'દારુલ કઝા'ના નિર્ણયોની કોઈ કાનૂની માન્યતા નથી: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે શરિયા કાયદા અને ફતવા સંબંધિત એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં પુનરોચ્ચાર કર્યો કે 'કાઝી કી અદાલત', 'દારુલ કઝા' અથવા 'શરિયા કોર્ટ' જેવી કોઈપણ સંસ્થાને ભારતીય કાયદા હેઠળ કોઈ માન્યતા નથી અને તેમના દ્વારા આપવામાં આવેલા કોઈપણ નિર્દેશ કે નિર્ણય કાયદેસર રીતે બંધનકર્તા નથી.

કેસમાં અલ્હાબાદ HCના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો

Gujarati

રમતગમત ક્ષેત્રે શ્રીજેશ પીઆરને પદ્મ ભૂષણ, આર.અશ્વિન અને સત્યપાલ સિંહને પદ્મશ્રી એનાયત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનના રિપબ્લિક પેવેલિયન ખાતે આયોજિત નાગરિક સન્માન સમારોહ-1માં વર્ષ 2025 માટે 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા હતા. જેમાં રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારા ત્રણ ખેલાડીઓને પદ્મ પુરસ્કાર-2025માં સન્માનિત કરવામાં આવ્યા છે.

શ્રીજેશ પી.આર. ભૂતપૂર્વ ભારતીય હોકી ગોલકીપર

Gujarati

11 છગ્ગા, 7 ચોગ્ગા અને 35 બોલમાં સદી ! 14 વર્ષના સૂર્યવંશીએ તોડ્યા ઘણા રેકોર્ડ

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સોમવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો તોફાની પ્રદર્શન કર્યું હતું. વૈભવ સૂર્યવંશીએ માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. તેની ઇનિંગ્સના આધારે રાજસ્થાને ગુજરાતના કુલ 210 રનનો પીછો ફક્ત 16 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને કરી દીધો હતો.  વૈભવ IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે આવી ગયો છે.

Gujarati

દક્ષિણ ઈરાનના બંદર અબ્બાસમાં શાહિદ રાજાઈ બંદર પર પ્રચંડ વિસ્ફોટ

દક્ષિણ ઈરાનના બંદર અબ્બાસમાં શાહિદ રાજાઈ બંદર પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 4 લોકોના મૃત્યુ અને 500થી વધુ ઘાયલ થયા છે. વિસ્ફોટથી આસપાસના વિસ્તારો હચમચી ગયા. આ વિસ્ફોટ શાહિદ રાજાઈ બંદર વિસ્તારમાં રાખવામાં આવેલા અનેક કન્ટેનરમાં થયા હતા.

નેશનલ ઈરાની પેટ્રોલિયમ રિફાઈનિંગ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કંપનીએ જણાવ્યું હતું કે વિસ્ફોટથી પેટ્રોલિયમ પર કોઈ અસર પડી નથી. ઓમાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે.

 

Gujarati

ગુજરાત પોલીસનું મોટું અભિયાનઃ પાકિસ્તાની-બાંગ્લાદેશી નાગરિકોની તપાસ શરૂ

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વડોદરાની મુલાકાતમાં તેમણે રાજ્યભરમાંથી પાકિસ્તાની કે બાંગ્લાદેશી નાગરિકોની ભાળ મેળવવાની પ્રક્રિયા શરૂ કરાઇ હોવાનું જણાવ્યું હતું. તે મુજબ વડોદરા પોલીસ હરકતમાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરામાં પાકિસ્તાની કે બાંગ્લાદેશી નાગરિકોની તપાસ શરૂ કરાઇ છે.

Gujarati

રાજ્યમાં આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાન યથાવત્ રહેશે

રાજ્યમાં આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાન યથાવત્ રહેશે. જ્યારે 2 દિવસ બાદ પવનની દિશા બદલાવાથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી સુધી રહી શકે છે. 

રાજ્યના બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 27 એપ્રિલથી 1 મે સુધી દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળો પવન ફૂંકાઈ શકે છે તો રાજ્યનું સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 43.9 ડિગ્રી અને અમરેલીમાં 43.1 ડિગ્રી નોંધાયું છે.
 

Gujarati

કૈલાશ માનસરોવર યાત્રા જૂનથી ઓગસ્ટ દરમિયાન યોજાશે

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરાશે. મંત્રાલયે જણાવ્યું કે આ યાત્રામાં શ્રદ્ધાળુઓના જૂથ ઉત્તરાખંડમાં લીપુલેખ પાસ અને સિક્કિમમાં નાથુ-લા પાસ પાર કરશે. આ યાત્રા માટે અરજી મંત્રાલયની વેબસાઇટ પર ઓનલાઈન કરી શકાશે. જેમાં મુસાફરોની પસંદગી નિષ્પક્ષ કમ્પ્યુટર રેન્ડમ માધ્યમ દ્વારા કરવામાં આવશે.

યાત્રાળુઓ http://kmy.gov.in પર અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૩ મે, ૨૦૨૫ છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply