ભારત-બાંગ્લાદેશ દરિયાઈ સહયોગ મજબૂત કરવા ભારતીય જહાજ ‘સાગર’ પહોંચ્યુ ચટગાંવ
બાંગ્લાદેશી જળસીમામાં બાંગ્લાદેશી નૌકાદળના જહાજ 'બીએનએસ અલી હૈદર' (F17) દ્વારા ભારતીય જહાજનું ભવ્ય સ્વાગત કરી તેને બંદર સુધી એસ્કોર્ટ કરવામાં આવ્યું હતું.બાંગ્લાદેશમાં ભારતીય હાઈકમિશનના જણાવ્યા અનુસાર, આ મુલાકાત 'આઈઓએસ સાગર 2026' બહુરાષ્ટ્રીય અભિયાનનો એક ભાગ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા અને પ્રાદેશિક સંકલનને મજબૂત કરવાનો છે.આ મુલાકાત દરમિયાન આઈઓએસ સાગરના કમાન્ડિંગ ઓફિસર બાંગ્લાદેશ નૌકાદળના ઉચ્ચ અધિકારીઓ, કમાન્ડર ચટ્ટૌગ્રામ નેવલ એરિયા અને નેવલ ફ્લીટના કમાન્ડરો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો કરશે.